06/03/2026
*M. And V. Arts and Commerce College, Halol ખાતે સંશોધન પદ્ધતિ પર બે દિવસીય રાષ્ટ્રિય પરિસંવાદનું (હાઇબ્રિડ મોડ) આયોજન કરવામાં આવ્યું.*
શ્રી હાલોલ મહાજન ઉચ્ચ શિક્ષણ મંડળ (HUM) સંચાલિત એમ. એન્ડ વી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, હાલોલ ખાતે RUSA Component No 11 Faculty Improvement Programme હેઠળ તારીખ 11 અને 12 ફેબ્રુઆરી, 2026 ના રોજ બે દિવસીય રાષ્ટ્રીય સેમિનાર (હાઇબ્રિડ મોડ) સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવ્યો હતો. આ સેમિનારનો મુખ્ય હેતુ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે સંશોધન સંસ્કૃતિને મજબૂત બનાવવાનો તેમજ અધ્યાપકો અને સંશોધકોમાં સંશોધન પદ્ધતિ અંગેની સમજ વિકસાવવાનો હતો.
પ્રથમ દિવસ – 11 ફેબ્રુઆરી, 2026
સેમિનારની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી, ત્યારબાદ જ્ઞાનના પ્રતીકરૂપે દીપ પ્રજ્વલન કરવામાં આવ્યું.
પ્રિન્સિપાલ ડૉ. યશવંત શર્માએ મહાનુભાવો, વિષય નિષ્ણાતો અને ઉપસ્થિત સૌનું હાર્દિક સ્વાગત કર્યું. ત્યારબાદ સેમિનાર સંયોજક ડૉ. અંકિત પટેલએ સેમિનારની થીમની પસંદગી તથા વિષય નિષ્ણાતોના મહત્વ અંગે વિગતવાર માહિતી આપી.
Shri Halol Mahajan Uchch Shikshan Mandalના માનદ મંત્રી શ્રી સમીરભાઈ શાહ મુખ્ય અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા અને તેમણે ઉચ્ચ શિક્ષણમાં સંશોધનની ભૂમિકા અંગે પ્રેરણાદાયક માર્ગદર્શન આપ્યું.
પ્રથમ દિવસના મુખ્ય મહેમાન અને કી-નોટ વક્તા પ્રોફ. અતનુ ભટ્ટાચાર્યએ (સેન્ટ્રલ યુનિવર્સિટી ઑફ ગુજરાતના કુલપતિ) માનવવિજ્ઞાનમાં આંતરવિષયક સંશોધન: ‘ટર્ન્સ’ વિષય પર ઊંડાણપૂર્વક અને વિચારપ્રેરક વ્યાખ્યાન આપ્યું.
પ્રથમ પ્લેનરી સેશનમાં પ્રોફ. રમેશચંદ્ર કોઠારીએ (વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના પુર્વ કુલપતિ) “સંશોધનની મૂળભૂત બાબતો” વિષય પર મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું.
બીજા પ્લેનરી વક્તા, પ્રોફ. સુલભા નટરાજએ “ઍક્શન રિસર્ચ” વિષય પર અસરકારક વ્યાખ્યાન આપ્યું, જેનું અધ્યક્ષસ્થાન પ્રોફ. પારુલ પોપટએ સંભાળ્યું.
ત્રીજા પ્લેનરી સેશનમાં પ્રોફ. સુરેન્દ્રસિંહ ગોહિલએ “સંશોધન ઉદ્દેશ્યો, સંશોધન પ્રશ્નો અને પરિકલ્પના” વિષયનું સ્પષ્ટીકરણ કર્યું. આ સેશનનું અધ્યક્ષસ્થાન ડૉ. અનુરાગસિંહ પુવારએ સંભાળ્યું.
પ્લેનરી સેશનો બાદ ટેકનિકલ સેશન–૧ (ઓફલાઇન મોડ)નું આયોજન કરવામાં આવ્યું, જેમાં ડૉ. અનુરાગસિંહ પુવાર અને ડૉ. વિજય નિનામા અધ્યક્ષ તરીકે રહ્યા. આ સેશનમાં ૨૦થી વધુ પ્રતિભાગીઓએ તેમના સંશોધન પત્રો રજૂ કર્યા.
બીજો દિવસ – 12 ફેબ્રુઆરી, 2026
બીજો દિવસ પણ સમાન ઉત્સાહ અને શૈક્ષણિક ગંભીરતા સાથે શરૂ થયો.
પ્રથમ પ્લેનરી સેશનમાં ડૉ. વિકાશ દોશીએ “ડેટા સંગ્રહ સાધનો, પદ્ધતિઓ અને વિશ્લેષણ” વિષય પર માહિતીસભર વ્યાખ્યાન આપ્યું.
બીજા પ્લેનરી વક્તા, ડૉ. મહેન્દ્ર ચોટાલિયાએ “સંશોધન: માહિતી માટે નહીં, પરિવર્તન માટે” વિષય પર વિચારપ્રેરક વ્યાખ્યાન આપ્યું, જેનું અધ્યક્ષસ્થાન ડૉ. વિજય માંગુખિયા એ સંભાળ્યું.
ત્રીજા પ્લેનરી સેશનમાં ડૉ. સુશાંત પાંડાએ “સંશોધનમાં નૈતિકતા” વિષય પર જાગૃતિપૂર્ણ વ્યાખ્યાન આપ્યું. આ સેશનનું અધ્યક્ષસ્થાન ડૉ. અપુર્વા પાઠકએ સંભાળ્યું.
પછી ટેકનિકલ સેશન–૨ (ઓનલાઇન મોડ)નું આયોજન કરવામાં આવ્યું, જેમાં ડૉ. ધર્મેન્દ્ર બારિયા, ડૉ. ધ્રુનલ કા.પટેલ અને પ્રિન્સિપાલ વિપિન બારિયા અધ્યક્ષ તરીકે રહ્યા. આ સેશનમાં ૫૦થી વધુ પ્રતિભાગીઓએ તેમના સંશોધન પત્રો રજૂ કર્યા.
અંતે સમાપન સમારોહ (વેલેડિક્ટરી ફંક્શન) યોજાયો, જેમાં સેમિનાર સંયોજક ડૉ. અંકિત પટેલએ આભાર વિધિ (Vote of Thanks) પાઠવી.
આ બે દિવસીય રાષ્ટ્રીય સેમિનારમાં *ઓફલાઇન તથા ઓનલાઇન મોડમાં કુલ ૨૫૦થી વધુ પ્રતિભાગીઓએ ભાગ લીધો હતો. ગુજરાત, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી, મધ્ય પ્રદેશ વગેરે રાજ્યોની વિવિધ યુનિવર્સિટીઓ અને સંસ્થાઓમાંથી પ્રતિભાગીઓ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી સમીરભાઈ શાહ, ડૉ. યશવંત શર્મા, ડૉ. અંકિત પટેલ, અધ્યાપક વર્ગ, બિન-અધ્યાપક સ્ટાફ, વિદ્યાર્થીઓ તથા તમામ પ્રતિભાગીઓના સહકારથી આ સેમિનાર ભવ્ય સફળતા સાથે પૂર્ણ થયો. સેમિનારે સંશોધન જાગૃતિ, પદ્ધતિગત સમજ અને આંતરવિષયક અભિગમને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.