29/04/2026
લક્ષ્મણ જ્ઞાનપીઠ ફાઉન્ડેશન સંચાલિત લક્ષ્મણ જ્ઞાનપીઠ પ્રાથમિક શાળા દ્વારા તાજેતરમાં શાળામાં નવો પ્રવેશ મેળવનાર બાળકોના વાલીશ્રીઓ માટે વિશેષ વાલી પ્રશિક્ષણ સત્રનું પ્રેરણાદાયી આયોજન કરવામાં આવ્યું હતું. "બાળકના સર્વાંગી વિકાસનો સેતુ : શાળા, શિક્ષક અને વાલી" વિષય પર આધારિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકના ઘડતરમાં શાળા અને પરિવાર વચ્ચે મજબૂત સમન્વય સાધવાનો હતો.
કાર્યક્રમમાં શાળાના પ્રધાનાચાર્યા સુ.શ્રી નયનાબેન પટેલે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડતા જણાવ્યું હતું કે, બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે શાળા અને વાલી એકબીજાના પૂરક બનીને કાર્ય કરે તે અનિવાર્ય છે. સત્રમાં 'શાળા-શિક્ષક-વાલી' ના ત્રિવેણી સંગમ દ્વારા બાળકની માનસિક, શારીરિક અને બૌદ્ધિક ક્ષમતાઓને કેવી રીતે ખીલવી શકાય તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
અંતમાં, વાલીઓએ સકારાત્મક પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે આ સત્રથી તેમને બાળકના ઉછેરમાં આવતી મૂંઝવણોનું યોગ્ય સમાધાન મળ્યું છે. આમ, સમગ્ર આયોજન ખૂબ જ શિસ્તબદ્ધ રીતે સંપન્ન થયું હતું. સત્રમાં સંસ્થાના આદરણીય એકેડેમિક ડાયરેક્ટર શ્રી મનીષભાઈ ઝાલા સાહેબ, શાળાના પ્રધાનાચાર્યા આદરણીય સુ.શ્રી નયનાબેન પટેલ, NEP કૉ-ઓર્ડીનેટર્સ, ગુરુજનો અને વાલીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
[Parent Orientation, Teacher Parent Collaboration, Student Growth, School Teacher Parent Bond, Future Ready Students, Laxman Gyanpith]