24/06/2026
લક્ષ્મણ જ્ઞાનપીઠ પ્રાથમિક શાળામાં આ વર્ષથી “નવ સંકલ્પ, નવ મહિના – એક ઉદ્દેશ્ય” અંતર્ગત વિવિધ વિષયો પર સર્જનાત્મક અને મૂલ્યલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેના પ્રથમ સંકલ્પ તરીકે “જળ સંરક્ષણ” વિષયને કેન્દ્રમાં રાખીને ધોરણ-૧ના વાલીશ્રીઓના સહયોગથી સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
કાર્યક્રમ દરમિયાન વાલીશ્રીઓએ બાળકોને પાણીનું મહત્વ સમજાવવા માટે વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ, પ્રોજેક્ટ રજૂઆત, સંદેશાત્મક અભિનય, વક્તવ્યની રજૂઆત કરી હતી. તેમણે બાળકોને પાણીના મર્યાદિત ઉપયોગ અંગે ખૂબ જ સરળ અને અસરકારક રીતે સમજણ આપી તેમજ “જળ છે તો જીવન છે.” નો સંદેશ બાળકોના મન સુધી પહોંચાડ્યો. આ ઉપરાંત પાણી બચાવવા અંગે દૈનિક જીવનમાં અપનાવી શકાય તેવી અનેક સારી આદતો વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ પ્રસંગે સંસ્થાના એકેડેમિક ડાયરેક્ટર આદરણીયશ્રી મનીષભાઈ ઝાલા સાહેબ, લક્ષ્મણ જ્ઞાનપીઠ પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ આદરણ�