Shri A K Doshi Mahila College

Shri A K Doshi Mahila College Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shri A K Doshi Mahila College, Patel Colony Mahila College Road, Jamnagar.

ए. के. दोशी महिला कॉलेज, जामनगर NCC विभाग में 27 गुजरात बटालियन एनसीसी, जामनगर के अंतर्गत दिनांक 20 अगस्त 2026 को परेड ए...
21/08/2026

ए. के. दोशी महिला कॉलेज, जामनगर NCC विभाग में 27 गुजरात बटालियन एनसीसी, जामनगर के अंतर्गत दिनांक 20 अगस्त 2026 को परेड एवं व्याख्यान का जागरूकता कार्यक्रम आयोजित किया गया।इस कार्यक्रम में 27 गुजरात बटालियन एनसीसी, जामनगर के दो पीआई स्टाफ श्री राजेश सर एवं श्री तेज सर उपस्थित रहे। कार्यक्रम की शुरुआत परेड से की गई। कैडेट्स को परेड कराई गई तथा अनुशासन, एकरूपता एवं टीम भावना का अभ्यास कराया गया। इसके पश्चात उन्होंने सभी एनसीसी कैडेट्स को महत्वपूर्ण विषयों पर मार्गदर्शन दिया।
कार्यक्रम के दौरान सबसे पहले टीबी मुक्त भारत अभियान के बारे में व्याख्यान दिया गया। कैडेट्स को टीबी के प्रति जागरूकता, बचाव एवं समाज को टीबी मुक्त बनाने में युवाओं की महत्वपूर्ण भूमिका के बारे में जानकारी दी गई। साथ ही कॉलेज की सीटीओ डॉ. धर्मिष्ठा मैम करडाणी ने भी टीबी मुक्त भारत अभियान के संबंध में महत्वपूर्ण जानकारी एवं मार्गदर्शन प्रदान किया।इसके पश्चात एनसीसी से संबंधित व्याख्यान लिया गया। इसमें कैडेट्स को एनसीसी के उद्देश्य, अनुशासन, राष्ट्र सेवा, नेतृत्व क्षमता तथा एक जिम्मेदार नागरिक के कर्तव्यों के बारे में विस्तार से समझाया गया।
कार्यक्रम के अंत में सभी उपस्थित एनसीसी कैडेट्स को रिफ्रेशमेंट भी प्रदान किया गया। इस दौरान कैडेट्स में उत्साह एवं प्रसन्नता देखने को मिली।
यह कार्यक्रम प्रातः 8:10 बजे से दोपहर 1:२० बजे तक आयोजित किया गया।इस कार्यक्रम में महाविद्यालय की माननीय प्राचार्या डॉ. चेतना मैम भेसदड़िया तथा सीटीओ डॉ. धर्मिष्ठा मैम करडाणी का मार्गदर्शन एवं सहयोग प्राप्त हुआ।कार्यक्रम कैडेट्स के लिए अत्यंत ज्ञानवर्धक एवं प्रेरणादायक रहा। सभी कैडेट्स ने व्याख्यान को ध्यानपूर्वक सुना और महत्वपूर्ण जानकारी प्राप्त की।

जय हिन्द 🇮🇳
जय भारत 🇮🇳

ભવન્સ શ્રી એ. કે. દોશી મહિલા કોલેજમાં સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા 'વિશ્વ આદિવાસી દિવસ'ની ભવ્ય અને ઉત્સાહસભર ઉજવણીજામનગરની ન...
21/08/2026

ભવન્સ શ્રી એ. કે. દોશી મહિલા કોલેજમાં સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા 'વિશ્વ આદિવાસી દિવસ'ની ભવ્ય અને ઉત્સાહસભર ઉજવણી

જામનગરની નામાંકિત શિક્ષણ સંસ્થા ભવન્સ શ્રી એ. કે. દોશી મહિલા કોલેજ ખાતે સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા તારીખ 11/8/2026 ને મંગળવારના રોજ '9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ'ની અત્યંત ધામધૂમથી અને સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતી ઉત્સાહસભર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સમાજશાસ્ત્ર વિભાગની વિદ્યાર્થીનીઓએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લઈ આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને તેમના અનન્ય યોગદાનને વિવિધ પ્રવૃત્તિઓ મારફતે સુંદર રીતે રજૂ કર્યું હતું.
કાર્યક્રમ દરમિયાન કોલેજ કેમ્પસ અને વર્ગખંડ આદિવાસી સંસ્કૃતિને અનુરૂપ પરંપરાગત સુશોભન અને આકર્ષક રંગોળીઓથી જીવંત બની ઉઠ્યા હતા. વિદ્યાર્થીનીઓએ આદિવાસી નૃત્ય, નાટક, પ્રેરણાદાયી સ્પીચ (વક્તવ્ય), ક્વિઝ સ્પર્ધા, ચાર્ટ પ્રેઝન્ટેશન, પીપીટી પ્રેઝન્ટેશન અને ફોટોગ્રાફી જેવી વિવિધ સ્પર્ધાઓ અને પ્રવૃત્તિઓમાં પોતાની કલા-કૌશલ્યનું બહેતરીન પ્રદર્શન કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સફળ અને પ્રભાવશાળી એન્કરિંગ પણ સમાજશાસ્ત્રના વિદ્યાર્થીનીઓ શ્રી વૃંદા વાજા અને શ્રી જાનવી ગોસાઈ દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી કોલેજના પ્રિન્સિપાલશ્રી ડો. ચેતના મેડમ ભેંસદડિયાએ વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, "આદિવાસી સમાજ એ આપણી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિરાસતનો મૂળ આધાર છે. તેમની સદ્ભાવનાપૂર્ણ જીવનશૈલીમાંથી આપણને પર્યાવરણ જતન અને પ્રકૃતિ સાથે સુમેળ સાધીને જીવવાની અદ્ભુત પ્રેરણા મળે છે. આવા આયોજનો દ્વારા વિદ્યાર્થીઓમાં સાંસ્કૃતિક મૂલ્યો અને સામાજિક સમરસતા દ્રઢ બને છે."
સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પ્રોફેસર ડો. ભાવના મેડમ ગામીતે આદિવાસી દિવસના મહત્વ પર વિશેષ પ્રકાશ પાડતા પોતાના પ્રેરણાદાયી વક્તવ્યમાં જણાવ્યું હતું કે, "આદિવાસી સંસ્કૃતિ એ માત્ર ભૂતકાળની વિરાસત નથી, પરંતુ વર્તમાન સમયમાં પર્યાવરણ રક્ષણ અને સાતત્યપૂર્ણ જીવનશૈલી માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓ માટે આદિવાસી સમાજની જીવનપદ્ધતિ, તેમની પરંપરાઓ અને સામાજિક મૂલ્યોને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજવા અત્યંત જરૂરી છે. આજે વિદ્યાર્થીનીઓએ જે સર્જનાત્મકતા અને ઉત્સાહથી વિવિધ પ્રવૃત્તિઓ રજૂ કરી છે તે તેમની ઊંડી સામાજિક સમજ અને અભ્યાસરસ દર્શાવે છે."
આ પ્રસંગે સમાજશાસ્ત્ર વિભાગના પ્રોફેસર ડો. ધર્મિષ્ઠા મેડમ કરડાણીએ પણ વિદ્યાર્થીનીઓને માર્ગદર્શિત કરતા જણાવ્યું હતું કે, "આજના આધુનિક યુગમાં પણ આદિવાસી સમાજની કલા, લોકસંસ્કૃતિ અને પરંપરાગત જ્ઞાન અમૂલ્ય છે. વિદ્યાર્થીનીઓએ જે ઉત્સાહથી આ વિવિધ સ્પર્ધાઓ અને રજૂઆતોમાં ભાગ લીધો છે તે ખરેખર પ્રશંસનીય છે. આવી પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓમાં નેતૃત્વ ગુણો, આત્મવિશ્વાસ અને આપણી સમૃદ્ધ વિરાસત પ્રત્યેનો ગૌરવભાવ વધે છે."
કાર્યક્રમના અંતે ટી.વાય.બી.એ. સમાજશાસ્ત્રની વિદ્યાર્થીની શ્રી શિલ્પા નંદાણીયા દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવો, અધ્યાપકો અને વિદ્યાર્થીનીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અંતે કોલેજનો સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીનીઓના સાથ સહકાર દ્વારા કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો .સમગ્ર કાર્યક્રમનું સમાપન દેશભક્તિના સૂર સાથે સમૂહમાં 'રાષ્ટ્રગાન' કરીને કરવામાં આવ્યું હતું.

19/08/2026
ए. के. दोशी महिला कॉलेज की NCC कैडेट श्री सपना गोहेलकी 'आईजी फ्लैग एरिया चयन शिविर' में सहभागिता27 गुजरात बटालियन एनसीसी...
15/08/2026

ए. के. दोशी महिला कॉलेज की NCC कैडेट श्री सपना गोहेलकी 'आईजी फ्लैग एरिया चयन शिविर' में सहभागिता

27 गुजरात बटालियन एनसीसी, जामनगर के अंतर्गत ए. के. दोशी महिला कॉलेज, जामनगर की NCC कैडेट श्री सपना गोहेलने 28 जुलाई 2026 से 06 अगस्त 2026 तक अहमदाबाद में आयोजित 'आईजी फ्लैग एरिया चयन शिविर' में उत्साहपूर्वक भाग लिया। इस शिविर में भाग लेने के लिए कैडेट को कॉलेज की प्राचार्या आदरणीय डॉ. चेतना मेडम भेंसदड़िया तथा सीटीओ (CTO) डॉ. धर्मिष्ठा मैडम करडाणी का विशेष मार्गदर्शन प्राप्त हुआ।
10 दिवसीय इस शिविर के दौरान कैडेट ने फ्लैग एरिया के लिए अत्यंत महत्वपूर्ण चित्रकला (पेंटिंग) और रंगोली प्रतियोगिताओं में उत्कृष्ट प्रदर्शन किया। शिविर के दौरान कैडेट्स के लिए रहने, खाने और स्वल्पाहार (रिफ्रेशमेंट) की उत्तम व्यवस्था की गई थी। इसके अतिरिक्त कैडेट्स को अहमदाबाद के प्रसिद्ध लॉ गार्डन में खरीदारी के लिए ले जाया गया और सभागार (ऑडिटोरियम) में 'भूल भुलैया 3' फिल्म दिखाकर उनका मनोरंजन भी किया गया।
कैडेट्स के सुरक्षित आवागमन के लिए 27 गुजरात बटालियन जामनगर के ओम सर तथा अन्य अधिकारियों ने अहमदाबाद जाने एवं जामनगर वापस लाने की सुचारू व्यवस्था की थी। शिविर के दौरान अनुशासित सहभागिता और सराहनीय प्रदर्शन के लिए कॉलेज परिवार तथा एनसीसी बटालियन द्वारा कैडेट श्री सपना गोहेल को बधाई एवं शुभकामनाएं दी गईं।

હર ઘર તિરંગા’ મહારેલીથી જામનગરનું લાખોટા લેક દેશભક્તિના રંગે રંગાયું: એ. કે. દોશી મહિલા કોલેજ પરિવાર અને વિદ્યાર્થીનીઓનો...
14/08/2026

હર ઘર તિરંગા’ મહારેલીથી જામનગરનું લાખોટા લેક દેશભક્તિના રંગે રંગાયું: એ. કે. દોશી મહિલા કોલેજ પરિવાર અને વિદ્યાર્થીનીઓનો રાષ્ટ્રપ્રેમ છલકાયો

ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય તેમજ ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીની કચેરી, ગાંધીનગરના ‘હર ઘર તિરંગા’ ઝુંબેશ ૨૦૨૬ ના અમલીકરણના સંદર્ભે આજે તારીખ ૧૪ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ જામનગરના ઐતિહાસિક લાખોટા લેક ખાતે થી સરદાર વલ્લભભાઈ પટેલ ના પૂતળા રણજીત નગર સુધી તિરંગા યાત્રા કરી એક ભવ્ય અને વિરાટ 'તિરંગા રેલી'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ અંતર્ગત યોજાયેલ રેલીમાં જામનગર શહેરની વિવિધ શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા.
આ સરકારી આયોજનમાં એ. કે. દોશી કોલેજના પ્રિન્સિપાલશ્રી ડૉ. ચેતનાબેન ભેંસદડિયાના સતત પ્રોત્સાહક વલણ, પ્રેરણાદાયી નેતૃત્વ અને અધ્યાપકશ્રીઓના યોગ્ય માર્ગદર્શન હેઠળ કોલેજ પરિવાર આયોજનમાં ખૂબ જ ઉત્સાહભેર સક્રિય થયો હતો. પ્રિન્સિપાલશ્રીના માર્ગદર્શન હેઠળ કોલેજના પ્રોફેસરશ્રીઓ, NCC (એન.સી.સી.) અને NSS (એન.એસ.એસ.) ના કેડેટ્સ તથા કોલેજની વિદ્યાર્થીનીઓએ ખૂબ જ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આયોજનની શોભા વધારી હતી.
હાથમાં ત્રિરંગો ધ્વજ લહેરાવીને "ભારત માતા કી જય", "વંદે માતરમ્" અને "હર ઘર તિરંગા"ના ગગનભેદી દેશભક્તિના નારાઓ સાથે વિદ્યાર્થીનીઓ અને સમગ્ર સ્ટાફ પરિવારે લાખોટા લેક થી સરદાર વલ્લભભાઈ પટેલ ના પૂતળા રણજીત નગર સુધી તિરંગા યાત્રા કરી ભ્રમણ કર્યું હતું. કોલેજના માર્ગદર્શકો અને વિદ્યાર્થીનીઓની આ વિશિષ્ટ સહભાગિતા દ્વારા નગરજનોમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે આદર અને દેશભક્તિની સચેતના જગાડવાનો એક ઉત્કૃષ્ટ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભવન્સ શ્રી એ. કે. દોશી મહિલા કોલેજ,જામનગર N.S.S. અંતર્ગત તારીખ 13 ઑગસ્ટ 2026 ઓરિન્ટેશન પ્રોગ્રામ યોજાયો. કૉલેજ ના પ્રિન્...
14/08/2026

ભવન્સ શ્રી એ. કે. દોશી મહિલા કોલેજ,જામનગર N.S.S. અંતર્ગત તારીખ 13 ઑગસ્ટ 2026 ઓરિન્ટેશન પ્રોગ્રામ યોજાયો. કૉલેજ ના પ્રિન્સિપાલ ડૉ.ચેતનાબેન ભેંસદડિયા એ રાષ્ટ્રીય સેવા યોજના નો ઉદેશ્ય સમજાવ્યો અને વિધાર્થીઓ સાચી ભાવના થી સામાજિક દાયિત્વ નિભાવવા વિશે માર્ગદર્શન આપ્યું. N.S.S. પ્રોગ્રામ ઓફિસર ડૉ. નઝમા મેડમ એ સ્વયં સેવકો ને " My Bharat portal" એપ્લીકેશન પર રજિસ્ટ્રેશન કરાવી એના માધ્યમ થી રાષ્ટ્ર વિકાસ ની ચળવળ માં જોડાઈ રાષ્ટ્ર ઘડતર માં સહભાગી બનવા આહવાન કર્યું. બધા જ સ્વયં સેવકો એ ઉત્સાહભેર આ કાર્યક્રમ માં ભાગ લીધેલ. કોલેજ ના પ્રિન્સિપાલ ડૉ. ચેતના મેડમ એ સર્વે ને આ કાર્યક્રમ બદલ અભિનંદન પાઠવેલ.

ભવન્સ  શ્રી એ. કે. દોશી મહિલા કોલેજ, જામનગર દ્વારા 12/8/2026 ના રોજ  *International Youth Day* અંતર્ગત અર્થશાસ્ત્ર વિભાગ...
13/08/2026

ભવન્સ શ્રી એ. કે. દોશી મહિલા કોલેજ, જામનગર દ્વારા 12/8/2026 ના રોજ *International Youth Day* અંતર્ગત અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા પ્રિન્સિપાલ ડો. ચેતનાબેન ભેસદડીયા ના માર્ગદર્શન હેઠળ *Expression of Youth* શીર્ષક હેઠળ *Industrial Project Exhibition* નું આયોજન કરવામાં આવેલ.
*Exhibition* માં વિદ્યાર્થીઓએ,પ્રો. ડો. હાજા ઓડેદરા, પ્રો. ડો. વિશ્વા ગરસર અને પ્રો.સેજલ ઝાપડિયા ના માર્ગદર્શન હેઠળ અર્થશાસ્ત્રના વિવિધ પાસાઓને મોડેલો દ્વારા ખૂબ જ સર્જનાત્મક અને વ્યવહારુ રીતે રજૂ કર્યા હતા, જેવા કે ગ્રીન એનર્જી, સ્ટોક માર્કેટ, જિનિંગ મિલ, નાણાની ઉત્ક્રાંતિ, અર્થતંત્રમાં થયેલા આર્થિક સુધારાઓ, અર્થતંત્રની ઉત્પત્તિ અને વિકાસના વિવિધ તબક્કાઓ, મિશ્ર ખેતી, PhonePe જેવી ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થા વગેરે વિષયોના મોડેલો રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ખેડૂત દ્વારા ઉત્પાદન કરવામાં આવેલી વસ્તુથી લઈને અંતિમ ગ્રાહક સુધી તે વસ્તુ પહોંચે ત્યાં સુધીની સમગ્ર પ્રક્રિયા પણ મોડેલ દ્વારા દર્શાવવામાં આવી હતી. તેમાં વેપારીઓ, જથ્થાબંધ વેપારીઓ, છૂટક વેપારીઓ તથા અન્ય મધ્યસ્થીઓની ભૂમિકા, વસ્તુની હેરફેર અને બજાર વ્યવસ્થાની સમજ ખૂબ જ સરળ અને રસપ્રદ રીતે આપવામાં આવી હતી.
વિદ્યાર્થીઓએ દરેક મોડેલની રચના પાછળનો આર્થિક ખ્યાલ, તેની કાર્યપદ્ધતિ અને વાસ્તવિક જીવનમાં તેનું મહત્વ મુલાકાતીઓને સમજાવ્યું હતું. આ પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓમાં સંશોધનવૃત્તિ, સર્જનાત્મકતા, વ્યવહારુ જ્ઞાન, રજૂઆત કૌશલ્ય, ટીમવર્ક અને નેતૃત્વ ક્ષમતાનો વિકાસ થયો હતો. વર્ગખંડમાં મેળવેલા સૈદ્ધાંતિક જ્ઞાનને મોડેલ અને પ્રયોગાત્મક પ્રવૃત્તિ સાથે જોડતું આ પ્રદર્શન **“Learning by Doing”**નું ઉત્તમ ઉદાહરણ બન્યું હતું. અર્થશાસ્ત્રને માત્ર પુસ્તકનો વિષય ન રાખી તેને રોજિંદા જીવન, કૃષિ, ઉદ્યોગ, નાણાં, ટેક્નોલોજી અને બજાર વ્યવસ્થા સાથે જોડવાનો વિદ્યાર્થીઓનો આ પ્રયાસ ખરેખર પ્રશંસનીય રહ્યો.
સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન કોલેજના પ્રિન્સિપાલશ્રી અને અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પ્રો.ડો. ચેતનાબેન ભેંસદડિયાના માર્ગદર્શન હેઠળ અર્થશાસ્ત્ર વિભાગના પ્રો. ડો. હાજા ડી. ઓડેદરા, પ્રો. ડો. વિશ્વા ગરસર અને પ્રો.સેજલ ઝાપડિયા તથા અર્થશાસ્ત્ર વિભાગના વિધાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. કોલેજના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓના સંયુક્ત સહકાર અને સક્રિય ભાગીદારીના પરિણામે આ કાર્યક્રમ ખૂબ જ માહિતીપ્રદ અને સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.

સેતુ’ જનજાગૃતિ ઝુંબેશ અંતર્ગત ડી.કે.વી. કોલેજ જામનગર ખાતે  એ.કે.દોશી મહિલા કોલેજના પ્રિન્સિપાલ ડૉ. ચેતનામેડમ ભેંસદડિયાનુ...
12/08/2026

સેતુ’ જનજાગૃતિ ઝુંબેશ અંતર્ગત ડી.કે.વી. કોલેજ જામનગર ખાતે એ.કે.દોશી મહિલા કોલેજના પ્રિન્સિપાલ ડૉ. ચેતનામેડમ ભેંસદડિયાનું ‘મહિલા સશક્તિકરણ’ વિષય પર પ્રેરણાદાયી વ્યાખ્યાન યોજાયું

સરકારી ડી.કે.વી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, જામનગર ખાતે ‘સેતુ’ જનજાગૃતિ ઝુંબેશ અંતર્ગત ‘મહિલા સશક્તિકરણ’ (Women Empowerment) વિષય પર તા. ૧૧ ઓગસ્ટ ૨૦૨૬, મંગળવારના રોજ એક વિશેષ અને પ્રેરણાદાયી વ્યાખ્યાનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એ. કે. દોશી મહિલા કોલેજના આદરણીય પ્રિન્સિપાલ ડૉ. ચેતનામેડમ ભેંસદડિયાએ મુખ્ય વક્તા તરીકે હાજરી આપીને નારી શક્તિ, તેની ઐતિહાસિક ભૂમિકા અને વર્તમાન સમયમાં તેના મહત્વ વિશે અત્યંત અર્થસભર અને માહિતીસભર વ્યાખ્યાન આપ્યું હતું.
પોતાના સચોટ અને વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાનમાં ડૉ. ચેતનામેડમ ભેંસદડિયાએ સમયના વિવિધ તબક્કાઓમાં મહિલાઓની ભૂમિકા પર વિગતવાર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વૈદિક કાળમાં ગાર્ગી, મૈત્રેયી અને અપાલા જેવી વિદુષી સ્ત્રીઓના ઉદાહરણો સાબિત કરે છે કે તે સમયે નારીને સમાજમાં ઉચ્ચ અને સન્માનજનક સ્થાન પ્રાપ્ત હતું. મધ્યકાળમાં સામાજિક કુરિવાજો વચ્ચે પણ રાણી લક્ષ્મીબાઈ અને જિજૌ જેવી વીરાંગનાઓએ પોતાના શૌર્ય અને નેતૃત્વથી ઈતિહાસ રચ્યો હતો. જ્યારે સાંપ્રત સમયમાં મહિલાઓ શિક્ષણ, વિજ્ઞાન, શાસન અને અવકાશ ક્ષેત્રે પોતાની ક્ષમતા સાબિત કરીને રાષ્ટ્ર નિર્માણમાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે.
વધુમાં, પ્રિન્સિપાલ મેડમે મહિલા સશક્તિકરણના ચાર મૂળભૂત સ્તંભો — સામાજિક, શૈક્ષણિક, આર્થિક અને રાજકીય સશક્તિકરણ વિશે વિસ્તૃત સમજ આપતા જણાવ્યું હતું કે શિક્ષણ અને આર્થિક આત્મનિર્ભરતા નારીને સાચો આત્મવિશ્વાસ પૂરો પાડે છે. મહિલા સશક્તિકરણ સામેના વર્તમાન પડકારો અંગે વાત કરતા તેમણે સ્પષ્ટ કર્યું હતું કે સ્ત્રી સશક્તિકરણ માટે સમાજે પોતાની માનસિકતા બદલવી પડશે, દીકરીઓને સમાન તકો આપવી પડશે તેમજ તેમને સુરક્ષિત વાતાવરણ અને નિર્ણય લેવાની સ્વતંત્રતા પૂરી પાડવી પડશે.
ડૉ. ચેતનાબેન ભેંસદડિયાના આ ઉત્કૃષ્ટ અને દિશાસૂચક વ્યાખ્યાન બદલ ડી.કે.વી. કોલેજ પરિવાર દ્વારા તેમનું ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ આભાર પત્ર અર્પણ કરીને વિશે સન્માન કરવામાં આવ્યું. મેડમના આ પ્રેરણાયી પ્રવચનથી ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફગણમાં નારી શક્તિ પ્રત્યે નવો ઉત્સાહ અને જાગૃતિનો સંચાર થયો હતો. કોલેજના આદરણીય પ્રિન્સિપાલ મેડમનું આ સરાહનીય પ્રદાન એ. કે. દોશી મહિલા કોલેજ પરિવાર માટે અત્યંત ગૌરવ અને હર્ષની ક્ષણ બની રહ્યું છે.

ए.के. दोशी महिला कॉलेज में 'आज़ादी का अमृत महोत्सव' के अंतर्गत एन.सी.सी. विभाग द्वारा 'हर घर तिरंगा' कार्यक्रम का भव्य आ...
11/08/2026

ए.के. दोशी महिला कॉलेज में 'आज़ादी का अमृत महोत्सव' के अंतर्गत एन.सी.सी. विभाग द्वारा 'हर घर तिरंगा' कार्यक्रम का भव्य आयोजन

ए.के. दोशी महिला कॉलेज, जामनगर में एन.सी.सी. (NCC) विभाग द्वारा 9 अगस्त, 2026 को असीम देशभक्ति के भाव के साथ 'हर घर तिरंगा' कार्यक्रम का सुंदर आयोजन किया गया। यह संपूर्ण कार्यक्रम कॉलेज की आदरणीय प्रधानाचार्या (प्रिंसिपल) डॉ. चेतना मैडम भेसदाड़िया के प्रेरणादायी मार्गदर्शन तथा NCC केयरटेकर ऑफिसर (CTO) डॉ. धर्मिष्ठा मैडम करडाणी के कुशल नेतृत्व में सफलतापूर्वक संपन्न हुआ।
कार्यक्रम की शुरुआत में NCC कैडेट्स द्वारा देशभक्ति से ओत-प्रोत और मंत्रमुग्ध कर देने वाला सामूहिक 'वंदे मातरम' गान प्रस्तुत किया गया। इसके पश्चात कैडेट्स ने भारत की आन, बान और शान के प्रतीक राष्ट्रध्वज (तिरंगे) के बारे में अपने विचार और भाव व्यक्त किए। छात्राओं ने राष्ट्रध्वज के प्रति अपना अगाध आदर, समर्पण और गौरव व्यक्त करते हुए कहा कि देश की रक्षा और राष्ट्र निर्माण में युवा पीढ़ी का योगदान अत्यंत महत्वपूर्ण है। प्रत्येक नागरिक के हृदय में स्वदेशी भावना और देशभक्ति सदैव जीवंत रहे—यह संदेश देते हुए कैडेट्स ने पूरे वातावरण को राष्ट्रभक्ति के रंग में रंग दिया।
इस अवसर पर प्रधानाचार्या डॉ. चेतना मैडम भेसदाड़िया ने कैडेट्स का उत्साहवर्धन करते हुए कहा, "तिरंगा केवल तीन रंगों का ध्वज नहीं है, बल्कि यह हमारे देश की एकता, अखंडता और बलिदान की अमर गाथा है। हम सभी को अपने दैनिक जीवन में भी 'राष्ट्रप्रेम की भावना को अपनाना चाहिए।"
कार्यक्रम के अंत में इस सफल आयोजन के लिए CTO डॉ. धर्मिष्ठा मैडम करडाणी एवं सभी NCC कैडेट्स को बधाई दी गई।

Address

Patel Colony Mahila College Road
Jamnagar
361008

Alerts

Be the first to know and let us send you an email when Shri A K Doshi Mahila College posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to Shri A K Doshi Mahila College:

Shortcuts

Share