Kim Education Society-Kim

Kim Education Society-Kim Educational institution
email :- [email protected]

03/05/2026
11/08/2025

ચલ મન કીમ એજ્યુકેશન સોસાયટીની વાટે ઘાટે.

પ્રકરણ બીજું.

એડમિશન પ્લીઝ.

કિમ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શિક્ષણ સંસ્થાઓ માં દરેક વિભાગમાં પ્રવેશ પ્રક્રિયા નિરપેક્ષ ભાવે કરવામાં આવે છે. વિદ્યાર્થી માત્ર પ્રવેશને પાત્ર એ સિદ્ધાંત મુજબ પ્રત્યેક વિદ્યાર્થીને કોઈ પણ જાતના ભેદભાવ વગર પ્રવેશ આપવામાં આવે છે.

કીમ એજ્યુકેશન સોસાયટી માને છે કે પ્રવેશ પ્રક્રિયા વખતે કોઈપણ પ્રકારની શરતો લાદીને વિદ્યાર્થીના પ્રવેશ ને અટકાવો એ શૈક્ષણિક ગુનો છે. આ માન્યતા અને આ પ્રતિબદ્ધતા મુજબ કોઈપણ વિદ્યાર્થી કીમ એજ્યુકેશન સોસાયટીના પરિસરમાં પ્રવેશ લેવા માટે પ્રવેશે છે એ પ્રવેશ મેળવીને જ રહે છે.

કીમ એજ્યુકેશન સોસાયટીની નિરપેક્ષ અને બિન શરતી પ્રવેશ પ્રક્રિયાને કારણે કિમ એજ્યુકેશન સોસાયટીની શિક્ષણ સંસ્થાઓમાં સમગ્ર ભારત વર્ષ નું પ્રતિનિધિત્વ જોવા મળે છે.

ભારત વર્ષની શિક્ષણ સંસ્થાઓમાં મેરિટસએ ક્રીએશનનો વિષય નથી રહ્યો પરંતુ વિદ્યાર્થીઓનો પ્રવેશ રોકવાનું ષડયંત્ર બની ગયું છે. આ ષડયંત્રનો સાક્ષાત્કાર કરીને કિમ એજ્યુકેશન સોસાયટીએ પોતાની શિક્ષણ સંસ્થામાં એડમિશન વખતે ગુણવત્તાને ક્યારેય માપદંડ બનાવ્યો નથી. લઘુત્તમ ધોરણે પાસ થયેલા દરેક વિદ્યાર્થીને સરળતાથી પ્રવેશ આપી દેવામાં આવે છે.

કિમ એજ્યુકેશન સોસાયટીની શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ વખતે કોઈપણ પ્રકારના ઇન્ટરવ્યૂ વિદ્યાર્થી કે વાલી ના રખાતા નથી. કીમ એજ્યુકેશન સોસાયટી માને છે કે કોઈપણ પ્રકારના પ્રવેશ વખતે ઇન્ટરવ્યૂ રાખવા એ વિદ્યાર્થીના પ્રવેશ રોકવા માટેની બદમાશી છે.

કેટલીક કહે વાતી પ્રતિષ્ઠિત શાળાઓ પોતાની શાળાઓનું પરિણામ સો ટકા મેળવવા માટે પોતાના નબળા વિદ્યાર્થીઓને કાઢી મૂકતી હોય છે. કિમ એજ્યુકેશન સોસાયટી આવા વિદ્યાર્થીઓને પ્રવેશમાં અગ્રતા આપતી હોય છે. ધોરણ 10 અને ધોરણ 12 માં દર વર્ષે આવા 8 થી 10 વિદ્યાર્થીઓને અવશ્ય પ્રવેશ આપવામાં આવે છે.

આખા દેશમાંથી કીમમાં કોઈપણ પરિવાર રહેવા માટે આવે તે પહેલા તેમના સંતાનોને કિમ એજ્યુકેશન સોસાયટી પ્રવેશ આપી દે છે જેથી આવા વાલીઓને પોતાના સંતાનોની શૈક્ષણિક ચિંતા રહે નહિ.

કીમ એજ્યુકેશન સોસાયટી પોતાની શૈક્ષણિક સંસ્થાઓનું જાહેર પરીક્ષાનું પરિણામ સો ટકા મેળવવા બીજી કોઈ પણ શૈક્ષણિક સંસ્થાઓ માંથી હોશિયાર વિદ્યાર્થીઓની ઉઠાંતરી કરી પ્રવેશ આપતી નથી. તો પોતાની શિક્ષણ સંસ્થાના હોશિયાર વિદ્યાર્થીઓ અન્ય ઊંચા પેકેજવાળી શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા જાય છે તો તેને રોકતી નથી. કિમ એજ્યુકેશન સોસાયટીની શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ મેળવવો જેટલો સહેલો છે એટલુ જ સહેલું શાળા છોડવું પણ છે.

કિમ એજ્યુકેશન સોસાયટીની શિક્ષણ સંસ્થાઓમાં જે વિદ્યાર્થી એક દિવસ પણ શિક્ષણ લેવા રોકાયો છે. તે અમારા પરિવારનો કાયમી સભ્ય છે. કિમ એજ્યુકેશન સોસાયટીની શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ ૩૧મી ઓગસ્ટે પૂરો થતો નથી પરંતુ 365 દિવસ ચાલતો રહે છે.

. ઉત્તમ પરમાર.

નૈષધને જન્મદિન મુબારક ,ચલ મન પિતૃત્વધર્મની વાટે ઘાટે **********************************************આજે તારીખ ત્રીજી ઓગસ્...
03/08/2025

નૈષધને જન્મદિન મુબારક ,ચલ મન પિતૃત્વધર્મની વાટે ઘાટે
**********************************************
આજે તારીખ ત્રીજી ઓગસ્ટ 2025
મારા દીકરા નૈષધનો 46 મો જન્મદિવસ.

પુત્રનો જન્મદિવસ એ દરેક પિતા માટે
આત્મનિરીક્ષણનો દિવસ બનવો જોઈએ.

આપણે આપણા સંતાનો સાથે અને એની વધતી ઉંમર સાથે કેવી રીતે વર્તીએ છીએ એનું આત્મચિંતન કરતા રહેવું જોઈએ.

મોટેભાગે આપણી સમાજ વ્યવસ્થામાં
આપણા માતા-પિતાઓ સંતાનોને જન્મ આપતા હોતા નથી પરંતુ પોતાની અધૂરી રહી ગયેલી મહત્વકાંક્ષાઓને અને દુન્યવી વાસનાઓને સંતોષવા માટેના
ગુલામ પ્યાદાઓને જ જન્મ આપતા હોય છે.

આપણા પોતાની ગુલામીની માનસિકતા હોવાને કારણે
એવું સમજીએ છીએ કે સંતાનોને જેટલી સ્થાવર-જંગમ માલમિલકત વારસામાં આપી જઈએ તેટલા આપણે સફળ પિતા ગણાઈએ.

એટલે આપણી કુટુંબ વ્યવસ્થા, શિક્ષણ વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થા એવી બનાવી છે કે જેમાં નાનપણથી જ બાળકમાં આર્થિક સામાજિક શૈક્ષણિક અને રાજકીય ક્ષેત્રની હિંસક મહત્વકાંક્ષાઓનું વાવેતર કરતાં રહીએ છીએ.

જો દીકરો શૈક્ષણિક સ્થાપિત હિત અંકે કરે, આર્થિક હિત અંકે કરે, સામાજિક અને રાજકીય સત્તા અંકિત કરે તો જ દીકરો સારો નહીં તો નકામો એવી હિંસક માન્યતા સાથે
મા બાપો અને સમાજ ચાલતા હોય છે.

નૈષધે એની 45 વર્ષની ઉંમરમાં વૈધિક શિક્ષણ નું સ્થાપિત હિત અંકે કર્યું નથી, આર્થિક હિત અંકે કર્યું નથી, સામાજિક સ્થાપિત હિત પણ અંકે કર્યું નથી, અને રાજકીય સ્થાપિત હિત પણ અંકે કર્યું નથી...... અલબત્ત આ બધું એને અંકે કરતા આવડે છે.

નૈષધને કદાચ એના જીવનમાં "બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરજે પરંતુ એ પ્રાપ્ત કરતી વખતે માણસ તરીકે જળવાઈ રહે જે" એવો સંદેશો આપનાર કોઈ મળ્યું નથી પરંતુ એણે પોતે સાતત્યપૂર્વક માણસ તરીકે જળવાઈ રહેવાની સાધના કરી છે.

આપણે સંતાનોને જન્મ આપ્યા પછી એને સંપત્તિ અને મિલકતોથી લાદી દઈએ છીએ..... અને સાર્થક મા-બાપ તરીકેની અનુભૂતિ કરીએ છીએ, પરંતુ આ આપણી ભ્રમણા છે.

આપણે સંતાનોને બધું જ આપીએ છીએ પરંતુ નિરપેક્ષ સ્વતંત્રતા અને નિરપેક્ષ અકૃતક પ્રેમ નથી આપતા. જેના કારણે સંતાનોનો એમની અપેક્ષા અને એમની સમજણ પૂર્વકનો સ્વસ્થ નૈસર્ગિક વિકાસ થતો નથી.

મે એક પિતા તરીકે દીકરા નૈષધને કશું જ આપ્યું નથી પરંતુ
એના જન્મ પછી ઘણા વર્ષ બાદ નિરપેક્ષ સ્વતંત્રતા અને નિરપેક્ષ અકૃતક પ્રેમ આપવાનો પ્રયત્ન કર્યો છે.

એક સમયનો નૈષધ મહાત્મા ગાંધીના ફોટા અને ગાંધીસાહિત્ય સંતાડ નારો, "સત્યના પ્રયોગ"ને બાળ નારો અને દેશ અને સમાજ ગાંધીજીના માર્ગે આગળ વધી શકે નહીં પરંતુ ધીરુભાઈ અંબાણીના માર્ગે જ આગળ વધી શકે. એવું કહેનારો.........

હવે કહે છે કે દેશની સર્વાંગી પ્રગતિ અને વિશ્વની શાંતિ માત્ર મહાત્મા ગાંધીના માર્ગે જ થઈ શકે. સમાજના જમણેરી કોમવાદી પરિબળો રાહુલ ગાંધીને ભલે પપ્પુ કહે પરંતુ નૈષધનો હીરો રાહુલ ગાંધી જ છે...... નૈષધ હવે અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની રાષ્ટ્રીય વ્યાપી સર્વોદય શિબિરોનો આયોજક તરીકે કામ કરી રહ્યો છે.... 46 માં વર્ષની એની ઉપલબ્ધિ એ છે કે તે હવે મહાત્મા ગાંધીનો રેંટિયા પર સફળતાપૂર્વક કાતતા થઈ ગયો છે....

એક સમયનો અંધારી રાતે ઘરના એક રૂમમાંથી બીજા રૂમમાં જવામાં ભય અનુભવતો હતો તે હવે ગાંધી વિચાર, સર્વોદય વિચાર અને અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની વિચારધારા અને મૂલ્યોના પ્રશિક્ષણ માટે આખા ભારતમાં ફરી રહ્યો છે.

કાશ્મીરના ખીણ પ્રદેશમાં એક મહિના સુધી આખા મુસ્લિમ ગામની વસ્તીમાં મુસ્લિમ પરિવારને ત્યાં રહીને કોંગ્રેસની અને સર્વોદયની પ્રશિક્ષણ તાલીમ કરી આવ્યો છે..... અને એ એક મહિનાના સહજીવન માંથી કાશ્મીરના મુસ્લિમો અને તેમના પ્રેમની અનુભૂતિ લઈ આવ્યો છે.....

કોંગ્રેસ માં જવાબદારી ભર્યા સ્થાનની સત્તા માટે ઈજન મળે છે પરંતુ એ કોંગ્રેસપુત્ર થઈને પક્ષના માળખાની બહાર રહીને પ્રશિક્ષણ કાર્યમાં પ્રવૃત્ત રહે છે.

નૈષધે આ યોગ્યતા પ્રાપ્ત કરી છે , તે એણે પોતે પ્રાપ્ત કરી છે , એમાં મારું કોઈ પ્રદાન કે માર્ગદર્શન નથી..... મારું પ્રદાન હોય તો માત્ર એટલું છે કે મેં એને દૂર ઊભા રહીને નિરપેક્ષ સ્વતંત્રતા અને નિરપેક્ષ અકૃતક પ્રેમ કર્યો છે .

ખલિલ જિબ્રાન કહેતા કે સંતાન તમારા થકી અવતરે છે , પરંતુ એ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ અને ભવિષ્ય લઈને આવે છે, એમની એમનું સ્વતંત્ર આકાશ આપો.... સ્વતંત્રતા આપો અને અક્રૂતક પ્રેમ આપો.

નૈષધની 45 વર્ષની જીવન યાત્રા દરમિયાન બધા જ પ્રકારના વિકાસમાં માણસ તરીકે જળવાઈ રહેવાની એની સાધનાથી હું એક પિતા તરીકે ઊંડા પરિતોષ ની લાગણી અનુભવું છું.

ઉત્તમ પરમાર................................કીમ 394110.

ચિ. દીપ્તિને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા :*********************************આજે તારીખ ૨૮મી એપ્રિલ 2025ને સોમવાર.મારી પુત્...
28/04/2025

ચિ. દીપ્તિને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા :
*********************************

આજે તારીખ ૨૮મી એપ્રિલ 2025ને સોમવાર.
મારી પુત્રવધુ દીકરી દીપ્તી નો જન્મ દિવસ.
41વર્ષ પૂરા કરી ને 42 માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

આમ તો દિપ્તીના પરિવાર સાથે
ત્રણ પેઢીથી આત્મીય સંબંધો.
પરંતુ દીકરા નૈષધ માટે કન્યા શોધવાની ઓરબીટ માં
દિપ્તી એ પ્રવેશ ન્હોતો કર્યો.

જે કન્યાઓ ઓરબીટમાં ઘૂમતી હતી
તે અમારા મનમાં વસતી ન્હોતી.

ત્યાં એક દિવસ દિપ્તીના
કાકા અને મારો મિત્ર દેવેન્દ્ર અચાનક આવી ચઢ્યો.
મને પૂછ્યું છે કેમ કાઈ મૂડમાં નથી દેખાતો ?
મેં મારી વિમાસણ રજૂ કરી,
યાર, હજી કંઈ નૈષધ માટે ઠેકાણું બેસતું નથી!

એટલે દેવેન્દ્ર મૂછમાં હસ્યો, અને બોલ્યો
તને ઘરમાં દીકરી નથી દેખાતી !,અને બહાર ફાંફા માર્યા કરે છે ?.....

મેં આશ્ચર્ય વ્યક્ત કર્યું ! અને એણે કહ્યું
મારા ભાઈ અનિલની દીકરી દિપ્તી !
એટલે મેં તત્ક્ષણ કહી દીધું, છોકરો-છોકરી એકબીજાને પસંદ કરે એટલે આ સંબંધ પાકો.

નૈષધ અને દિપ્તી મળ્યા અને એકબીજાને ગમી ગયા .
સંબંધ ગોઠવાયો અને વેવિશાળની તારીખ નક્કી થઈ.

વેવિશાળને દિવસે પાછા ફરતી વેળાએ
અમારા બંને પરિવારોના સબંધી પ્રભાબેન મળ્યા.
મને કહે છે, ઉત્તમભાઇ તમે બહુ નસીબદાર છો !
મેં પૂછ્યું કેમ? તો પ્રભાબેન કહે છે..

આ દિપતીને તમે લઈ જાવ છો ને, પણ મને યાદ રાખજો
આ છોકરી તમારા ઘરમાં દિવસને દિવસે વધુ ને વધુ તમને વિકસતી દેખાશે અને મહેકતી જોવા મળશે !
મેં કહ્યું, પ્રભાબેન તમારા મોઢામાં ઘી શક્કર !

એ દિવસ અને આજની ઘડી.
પ્રભાબેનની આગાહી દિવસે દિવસે વધુ ને વધુ સાચી પડતી જાય છે .
અમારી દિપ્તી દિવસે ને દિવસે
સાતત્યપૂર્વક વધુ ને વધુ વિકસતી જાય છે અને મહેકતી પણ જાય છે.

મારો દીકરો તેજસ 23 વર્ષની ઉમ્મરે
એકસીડન્ટમાં અમને છોડી ગયો જેના આઘાતમાં
લતા ડિપ્રેશન અને સિકઝોફેનીક માનસિકતામાં પ્રવેશી.

તેજસના કારણે અમારા પરિવારમાં સર્જાયેલા અવકાશમાં
એક જ વર્ષ પછી દિપ્તી એ પ્રવેશ કર્યો હતો.
અમારા આખા પરિવારને ખબર પણ ન પડે એ રીતે
દિપ્તીનાં મહેકતા વ્યક્તિત્વથી તેજસથી સર્જાયેલો અવકાશ ધીમે ધીમે સાતત્યપૂર્વક ઓગળતો ગયો.

લતા નું ડિપ્રેશન અને સિક્ઝોફ્રેનિક માનસિકતા
દિપ્તીના સહવાસથી ભુતકાળની સ્મૃતિ બની ગયું. અને
જોતજોતામાં અમારા ગામનું
સાસુ વહુની જોડીનું આદર્શ આનંદિત કપલ બની ગયું.

લતા હાઇપર ડાયાબિટીસનું પેશન્ટ.
છેલ્લા સાડાત્રણ વર્ષ સઘન માંદગી અને સારવારના ગયા.
એ સાડા ત્રણ વર્ષના લતાબેન બે સાથીદારો
એક એના સાહેબ, ડો છાબડા અને બીજી એની દિપ્તી.

લતાબેન એમની માંદગીમાં કઈ દવાઓ લીધી છે
એની ખબર લતાબેન,ઉત્તમભાઈ,નૈષધ ભાઈને ખબર ન પડે પરંતુ એના સાહેબ અને દિપ્તી જાણે.
છાબડા સાહેબ ને કશું પૂછવું હોય તો સુધી પૂછપરછ દિપ્તી સાથે થાય..... અમે બધા કઈ જાણીએ નહીં.

લતાબેનની રાત્રીમાં ચારથી પાંચ વખત
એમની હાજત અને સમસ્યાને કારણે અંતરાલ સર્જાય.
દરેક વખતે દિપ્તી હસતે મોઢે તત્પરતા સાથે હાજર.
રાત્રે નવ દસથી શરૂ થતી આ સેવા સવારે ચાર પાંચ દરમિયાન ચાલે.

ક્યારેક હું ના પાડું અને દિપ્તી ને સુવા દેવાનું કહું તો
બંને સાસુ વહુ થઈને મારો ઉધડો લઇ નાખે !

બંને સાસુ વહુની આ સબંધોની અદ્વૈત સાધના
૧૬મી એપ્રિલ ૨૦૧૫ના દિવસે લતાબેનને દિપ્તીએ
કરેલા અગ્નિસંસ્કાર દ્વારા પૂર્ણ થઈ.

લતાબેન ગયા પછી દિપ્તી હવે
માથા ફરેલ બાપ-દીકરાનું વાલીપણું કરે છે.

ભારતીય સંસ્કૃતિમાં અને ભારતીય કુટુંબ વ્યવસ્થામાં સસરાજી વિધુર બને એટલે વહુએ વહુ મટીને માનો રોલ અદા કરવાનો હોઈ છે.
દિપ્તી હવે વહુ દીકરી મટીને મારી બોસ બની ગઈ છે.

મને પણ મારી ત્રણે ટાઈમની દવાના નામ ખબર નથી.
દીપ્તિ પીવડાવે તે પીવાની.
નવોઢા બનીને આવી હતી ત્યારે પપ્પા હું ટીવી જોઉં?
હવે મારે કેટલું ટીવી જોવાનું તે એ નક્કી કરે છે.

મને સસરા તરીકે જોગવવાનો અને
નૈષધને જીવનસાથી તરીકે જોગવવાનો
એ કાચી પોચી છોકરી નું કામ જ નહિ !

મારા બધા જ સગા, સ્નેહી ,મિત્રો કહે છે કે
ઉત્તમ, તું જમાઈ અને વહુ મેળવવામાં સૌથી વધુ ભાગ્યશાળી છે.

એટલે હું કહું છું હા, એ બાબતમાં હું અબજોપતિ છું.

છેલ્લે એક વાત કહું
દિપ્તી મારી વહુ નહિ દીકરી છે.
એના પ્રેમ, ત્યાગ અને સમર્પણને કારણે નહિ પરંતુ
એના ગુણ અવગુણ નિરપેક્ષ અસ્તિત્વથી એ મારી દીકરી છે.

પરંતુ પ્રભાબેન ની એ વાત
દિપ્તી ના 42માં વર્ષમાં પ્રવેશ વખતે પણ સાચી છે.
હું અને નૈષધ ભાગ્યશાળી છીએ
કારણકે દિપ્તી દિવસે દિવસે વિકસતી જાય છે અને
દિવસે દિવસે મ્હેકતી જાય છે.........

બેટા, દિપ્તી જન્મદિવસની હાર્દિક શુભકામના.

લી........ થિરક કહે છે તેમ........... તારા પપ્પા.

કીમ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી પી.એચ.ઉમરાવ કૉલેજ ઑફ આર્ટ્સ એન્ડ કૉમર્સ, કીમ ખાતે ૨૧મી ફેબ્રુઆરી  માતૃભાષા ગૌરવ દિવસન...
21/02/2024

કીમ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી પી.એચ.ઉમરાવ કૉલેજ ઑફ આર્ટ્સ એન્ડ કૉમર્સ, કીમ ખાતે ૨૧મી ફેબ્રુઆરી માતૃભાષા ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી... જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ ભાષા, બોલીમાં કૃતિઓ રજૂ કરી, ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આઝાદીની ચળવળ અને ગાંધીજીની સમાનતા, સહ ભાગીદારીની ભાવના...ગાંધી જયંતીએ કીમ એજ્યુકેશન સોસાયટીના માનદ્ મંત્રી ઉત્તમભાઈ પરમા...
02/10/2023

આઝાદીની ચળવળ અને ગાંધીજીની સમાનતા, સહ ભાગીદારીની ભાવના...
ગાંધી જયંતીએ કીમ એજ્યુકેશન સોસાયટીના માનદ્ મંત્રી ઉત્તમભાઈ પરમારની શ્રી પી.એચ.ઉમરાવ કૉલેજ,કીમ,જિ-સુરતના વિદ્યાર્થીઓ સાથે ગાંધી ગોષ્ઠિ-1
૪૦ મિનિટનું વક્તવ્ય ને ૨૦ મિનિટ પ્રશ્નોત્તરી... સરસ વૈચારિક ગોષ્ઠિ. કીમ કૉલેજનો નાનકડો પણ સુંદર ઉપક્રમ.
ગાંધી ગોષ્ઠિ-2 ગાંધી નિર્વાણ દિને 30 જાન્યુઆરી,2024ના રોજ યોજાશે.

કીમ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી પી.એચ.ઉમરાવ કૉલેજ ઑફ આર્ટ્સ એન્ડ કૉમર્સ, કીમ, જિ-સુરતનું ગૌરવ...કૉલેજના વર્તમાન મદદની...
26/09/2023

કીમ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી પી.એચ.ઉમરાવ કૉલેજ ઑફ આર્ટ્સ એન્ડ કૉમર્સ, કીમ, જિ-સુરતનું ગૌરવ...
કૉલેજના વર્તમાન મદદનીશ અધ્યાપક પ્રા.અમીત પી. પટેલ અને કૉલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થિની રકિયા દોષ પીએચ.ડી. થયા છે... અભિનંદન💐
ડૉ.અમીત પટેલે આર.વી.પટેલ કૉમર્સ કૉલેજ, અમરોલીના આચાર્યશ્રી ડૉ.મુકેશભાઈ ગોયાણીના માર્ગદર્શન હેઠળ અને ડૉ.રકિયા દોષે નવયુગ કૉમર્સ કૉલેજ, સુરત આચાર્યશ્રી ડૉ.વિનોદભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી. કર્યું છે.

Address

Shree P. K. Desai High School Campus
Olpad
394110

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

09925959014

Website

Alerts

Be the first to know and let us send you an email when Kim Education Society-Kim posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to Kim Education Society-Kim:

Share