R.B.Patel Arts & Commerce College

R.B.Patel Arts & Commerce College R.B.Patel College is 1 of the best colleges providing B.Com & B.A course,It is Affiliated with Gujar

*સાણંદની આર બી પટેલ કોલેજ દ્વારા વૃદ્ધાશ્રમ ની મુલાકાત નું આયોજન કરવામાં આવ્યું.* સાણંદની આર બી પટેલ કોલેજના NSS વિભાગ દ...
17/02/2026

*સાણંદની આર બી પટેલ કોલેજ દ્વારા વૃદ્ધાશ્રમ ની મુલાકાત નું આયોજન કરવામાં આવ્યું.*

સાણંદની આર બી પટેલ કોલેજના NSS વિભાગ દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે કલ્યાણપુરા (સચાણા) ખાતે આવેલ રુક્ષ્મણી બેન વૃદ્ધાશ્રમની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના 19 સ્વયંસેવકો તથા પ્રિન્સિપાલ સહિત પાંચ અધ્યાપકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

સ્વયંસેવકોએ વૃદ્ધાશ્રમમાં રહી રહેલા વડીલો સાથે સમય વિતાવ્યો, તેમની સાથે વાતચીત કરી અને તેમના જીવનના અનુભવો વિશે જાણકારી મેળવી. વડીલોએ પોતાના જીવનના સંઘર્ષ, સફળતાઓ અને સંસ્કારસભર અનુભવો વિદ્યાર્થીઓ સાથે વહેંચ્યા. આ સંવાદ દ્વારા સ્વયંસેવકોને જીવનમૂલ્યો અને સંવેદનશીલતા વિશે પ્રેરણા મળી.

કાર્યક્રમ દરમિયાન વડીલો માટે કોલેજના અધ્યાપકોના સહયોગથી બપોરના ભોજનની તથા આઈસ્ક્રીમ ની વ્યવસ્થા કરવામાં આવી હતી. વડીલોએ સ્વયંસેવકોને આશીર્વાદ આપ્યા અને આવી મુલાકાતથી ખુશી વ્યક્ત કરી.

આ સમગ્ર કાર્યક્રમથી સ્વયંસેવકોમાં માનવતા, સેવા અને સમાજ પ્રતિ જવાબદારીની ભાવના વધુ મજબૂત બની હતી .સ્વયંસેવકોએ આનંદપૂર્વક પોતાનો દિવસ વિતાવ્યો અને આ અનુભવને યાદગાર ગણાવ્યો.

સાણંદ કોલેજમાં સ્વચ્છોત્સવ કાર્યક્રમ યોજાયોસાણંદની આર બી પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના એન.એસ.એસ. વિભાગ દ્વારા સ્વચ્છોત્...
25/09/2025

સાણંદ કોલેજમાં સ્વચ્છોત્સવ કાર્યક્રમ યોજાયો
સાણંદની આર બી પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના એન.એસ.એસ. વિભાગ દ્વારા સ્વચ્છોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત એન.એસ.એસ.ના સ્વયંસેવકોએ કોલેજ તથા આજુબાજુના એવા વિસ્તારો શોધ્યા જ્યાં કચરો વધુ હતો. ત્યારબાદ સ્વયંસેવકોએ મળીને કચરો વાળી, સ્થળને સ્વચ્છ બનાવ્યું.

આ કાર્યક્રમ દ્વારા લોકોમાં સ્વચ્છતા જાગૃતિનો સંદેશ પહોંચાડવામાં આવ્યો. તમામ સ્વયંસેવકોએ એક સાથે મળીને એક કલાક શ્રમદાન આપ્યું હતું. આ પ્રસંગે કોલેજના અધ્યાપક મંડળ પણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું.

**સાણંદની આર બી પટેલ કોલેજમાં ફાયર સેફ્ટી કાર્યક્રમનું આયોજન**સાણંદની આર બી પટેલ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓમાં અગ્નિસુરક્ષ...
23/09/2025

**સાણંદની આર બી પટેલ કોલેજમાં ફાયર સેફ્ટી કાર્યક્રમનું આયોજન**

સાણંદની આર બી પટેલ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓમાં અગ્નિસુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવા માટે વિશેષ **ફાયર સેફ્ટી કાર્યક્રમ**નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને આગ લાગ્યાની પરિસ્થિતિમાં કેવી રીતે પોતાની તથા અન્યની સુરક્ષા કરવી તે અંગે માહિતી આપવામાં આવી.

તજજ્ઞોએ અગ્નિશામક (Fire Extinguisher) નો ઉપયોગ કરવાની પદ્ધતિનો પ્રત્યક્ષ પ્રદર્શન કરાવ્યું. સાથે સાથે આગ લાગ્યાની પરિસ્થિતિમાં શાંતિપૂર્વક બહાર નીકળવાની રીત, ફસાયેલા લોકોને કેવી રીતે મદદરૂપ થવું તથા આપત્તિ વ્યવસ્થાપન માટેના અગત્યના ઉપાયો વિષે માર્ગદર્શન આપ્યું.

વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને અગ્નિસુરક્ષા સંબંધિત મહત્વપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કર્યું. કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં **સજાગતા તથા સુરક્ષા પ્રત્યેની જવાબદારીનો વિકાસ** થયો.

સાણંદની આર બી પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના NSS વિભાગ દ્વારા પોષણ અઠવાડિયાની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી. આ કાર્યક્રમ અ...
05/09/2025

સાણંદની આર બી પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના NSS વિભાગ દ્વારા પોષણ અઠવાડિયાની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી. આ કાર્યક્રમ અંતર્ગત 27 ઓગસ્ટ થી 2જી સપ્ટેમ્બર સુધીના એક અઠવાડિયા સુધી બાળકોને પોષણ યુક્ત આહારનું વિતરણ કરાયું. જેમાં કેળા, સીંગ ચણા, ખજુર, સીંગ ચીકી, બાફેલા મગ, ચણા તથા દૂધ જેવા પૌષ્ટિક આહાર સામેલ હતા.

કાર્યક્રમનો હેતુ બાળકોમાં તથા તેમના વાલીઓમાં પોષણ વિષયક જાગૃતિ લાવવા તેમજ સંતુલિત આહારના મહત્વ અંગે સંદેશ પહોંચાડવાનો હતો. NSSના સ્વયંસેવકોએ પ્રોગ્રામ ઓફિસર ડૉ. નરેન્દ્ર ગુલાણી અને પ્રિન્સિપાલ કુલદીપ સિંહ વાઘેલા ના માર્ગદર્શન હેઠળ સફળતા પૂર્વક કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

*સાણંદ કોલેજ દ્વારા વૃદ્ધાશ્રમ ની મુલાકાત નું આયોજન કરવામાં આવ્યું*આર બી પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના એનએસએસ વિભાગ દ્...
30/03/2025

*સાણંદ કોલેજ દ્વારા વૃદ્ધાશ્રમ ની મુલાકાત નું આયોજન કરવામાં આવ્યું*

આર બી પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના એનએસએસ વિભાગ દ્વારા ૨૯ માર્ચ ના રોજ વૃદ્ધાશ્રમની મુલાકાત નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વયંસેવકોને મુ. હરીપુરા તા. વિરમગામ ખાતે આવેલ રૂક્ષ્મણીબેન વૃદ્ધાશ્રમમાં વરિષ્ઠ નાગરિકો સાથે સુખદ સમય વિતાવવાનો અવસર મળ્યો હતો. સ્વયંસેવકોએ વડીલોના આશીર્વાદ મેળવીને તેમના જીવન વિશેની માહિતી મેળવી હતી. વડીલો સાથે સમય વિતાવતા સ્વયંસેવકોને ખબર પડી કે વયસ્કો માટે સહાનુભૂતિ અને સંગત ખૂબ જ મહત્વની હોય છે. બધા જ વડીલોએ ખૂબ જ પ્રેમભાવ સાથે સ્વયંસેવકો સાથે દિવસ વિતાવ્યો હતો. આ મુલાકાત દરમિયાન વડીલો માટે નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. મુલાકાત ના અંતે સ્વયંસેવકોએ લાગણી ભર્યા અશ્રુ સાથે વિદાય લીધી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન ડૉ.નરેન્દ્ર ગુલાણી દ્વારા પ્રિન્સિપાલ કુળદીપસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

16/10/2021

જે વિદ્યાર્થીઓને ચૂટણીકાર્ડ કઢાવાનું હોય, ચૂટણીકાર્ડમાં સરનામું બદલવાનું હોય તેની કામગીરી આપણા nss યુનિટ દ્વારા કરવામાં આવશે. જેણે ઉપરોકત બાબત અનુસંધાને જરૂરિયાત હોય તેમણે આપણા nss સ્વયંસેવક ભાઈ લાલજીનો સંપર્ક કરવો. તમારા પરિવારમાં કે અન્ય પરિચિતના ચૂંટણીકાર્ડ કઢાવાના હોય કે સરનામું અથવા અન્ય કોઈ ફેરફાર કરાવવો હોય તેઓ પણ સંપર્ક કરી શકે.
લાલજી : 6351021347

T.Y.B.Com sem-5 ના ઉત્તમ પરિણામ મેળવનાર તમામ વિધાર્થીઓને કોલેજ પરિવાર અભિનંદન પાઠવે છે .....
05/04/2021

T.Y.B.Com sem-5 ના ઉત્તમ પરિણામ મેળવનાર તમામ વિધાર્થીઓને કોલેજ પરિવાર અભિનંદન પાઠવે છે .....

02/12/2020

Address

Sanand
Sanand
382110

Telephone

+917041156021

Website

Alerts

Be the first to know and let us send you an email when R.B.Patel Arts & Commerce College posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share